Wednesday, May 18, 2016

પ્રેરક પ્રસંગો

આ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે.

૧. સાચી શ્રદ્ધા

           એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો.લોકો ત્રાસી ગયા.તેમણે ધર્મગુરૂની સલાહ લીધી કે હવે શું કરવું ? ધર્મગુરૂએ સલાહ આપી: ચાલો, આપણે સૌ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું.નાનાં-મોટાં, સ્ત્રી-પુરૂષ સહુ આવ્યાં.એક નાની બાળકી પણ આવી.તે છત્રી લઇને આવી એટલે કોઇએ તેની મશ્કરી કરી. વરસાદનું ઠેકાણું નથી,અને જુઓ,આ છોકરી તો છત્રી લાવી છે ! ધર્મગુરૂએ પણ પૂછ્યું: બેટા, છત્રી કેમ લાવી છે ?” એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી: તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને  આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઇ ન જવાય એટલે હું છત્રી લાવી છું ! પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા

No comments:

Post a Comment